કામને પણ આપણાં શાસ્ત્રોએ એક વૃત્તિ તરીકે જોઈ છે. કામ અર્થાત સેક્સની શક્તિ પરમાત્માની શક્તિ છે. તેવો ઉલ્લેખ 'ભાગવત'માં અને 'ગર્ભોપનિષદ'માં મળે છે કે જ્યારે ભગવાનના મનુષ્ય અંગમાં અલગ-અલગ જગ્યાએ તત્વ રૂપે ક્યાં ક્યાં રહેલા છે તે જણાવેલું છે, તેમાં કહ્યું છે કે વિષ્ણુ મનુષ્ય શરીરમાં વૃષ્ણ તરીકે પણ રહેલા છે. માટે જ તેના નિયંત્રણથી અધ્યાત્મ જીવનની શરૂઆત થાય છે અને તેની વૃદ્ધિથી સંસાર જીવનનો પ્રારંભ થાય છે.
યૌનસુખ અર્થાત સંભોગ ક્રિયાના સમયે ચરમ સુખની પ્રાપ્તિ થવી તે આનંદ દાયક હોય છે. તેની તુલના ઘણાં વિદ્વાનોએ સ્વર્ગના સુખ સાથે કરે છે. પરંતુ, આજના આધુનિક યુગમાં યુવા પેઢી પર કામની વ્યસ્તતા, સ્પર્ધા અને માનસિક તણાવનો વિષાદ, નશાની લત, અપ્રાકૃત મૈથુન, એલોપૈથિક દવાઓનું દુષ્પરિણામ, ખાવા પીવામાં અનિયમિતતા, દૂષિત વાતાવરણ, વધતી કામવાસનાને કારણ ઉમર પહેલા યૌનશક્તિની નબળાઈથી પીડિત થઈ જાય છે. કામશક્તિની કમીથી ગ્રસ્ત યુવક-યુવતીઓની સંખ્યા દિવસે-દિવસે વધતી રહે છે. આ બધી બાબતો એવી છે કે તે હવે આપણાં જીવન સાથે વણાઈ ગઈ છે, તેને આપણે દૂર કરી શકતા નથી, પણ એવી બાબતો જેને અપનાવી અને આટલા વિઘ્નો સામે પણ આપણે આપણી કામશક્તિને જાળવી રાખી દાંપત્ય જીવનને આનંદિત રીતે જીવી શકીએ.
આવા ખૂશહાલ દાંપત્ય જીવન માટે આજે જાણીએ આયુર્વેદમાં જણાવેલા વાજીકરણ વીશે....