Get Divyabhaskar on mobile   E-Paper
 
Advertisement
 
Monday, August 02, 2010 19:22 [IST]
 
 

લગ્ન પહેલા સેક્સ પર રોકાણ કેમ?

Source: Dharma Desk, Ujjain   |   Last Updated 7:34 PM [IST](02/08/2010)
 
 
 
 
સેક્સ એક એવો શબ્દ છે જે સૌથી વધારે ગોપનિય હોવાથી છતા આજે સૌથી વધુ તેજીથી વધતુ રહે છે. સેક્સ યૌન સંબંધ, શારીરિક સંબંધ, કામ... જેવા ઘણા નામથી તેને જાણવામા આવે છે. યુવાનો અને વડીલોને તો કુદરત જ આને રુબરુ કરાવે છે.

પરંતુ એક ત્રીજો વર્ગ પણ છે જેમા આવશ્યક બાળકો પણ આવે છે. બાળકો અને લગ્ન થયેલા યુવાઓને સેક્સથી દુર રહેવાની પ્રેરણા ઘણી જગ્યાએ મળે છે. માતા-પિતા, પરિવાર, સમાજ, ધર્મ અને પરંપરાઓ બધુ મળીને મહત્વપુર્ણ કામ કરવાની જવાબદારી સંભાળે છે.

સમયની સાથે જ માન્યતાઓ અને પરંપરામા બદલાવ પણા આવી રહ્યા છે. બદલાવ જો સાચી દિશામા હોય તો બરોબર છે, પરંતુ સંજોગો કાંઈક બીજુ જ દર્શાવે છે. સેંસરથી મુક્ત ઈંટરનેટ, લિવ ઈન રિલેશનશિપ, કો- એજ્યુકેશન, વ્યસ્ત માતા-પિતા, ફિલ્મો અને ટી.વી. કાર્યક્રમોનુ સીમાને પાર કરીને અંગ પ્રદર્શન... આ બધાએ મળીને એવા સંજોગો ઉભા કર્યા છે કે નવી જનરેશન પતનના ઉંડા દલદલની તરફ જઈ રહી છે.

આટલુ જ નહી થોડા તથાકથિત વિદ્વાનો તો બાળકોને સેક્સ એજ્યુકેશન દેવાની ભરપુર વકાલત કરી રહ્યા છે. આ વિદ્વાનો એ નથી વિચારતા કે સુરક્ષાના નામ પર જે હથિયારોથી બાળકોને પરિચિત કરાવવામા આવે છે, બાળજો પોતાની સ્વાભાવિક જિજ્ઞાસાની આદતોને કારણે તે હથિયારોને ચલાવીને જોવાનો પણ પ્રયાસ કરવા લાગ્યા છે. શું કારણ છે કે દુનિયાના બધા જ ધર્મામા લગ્ન પહેલા કોઇ પણ પ્રકારના શારીરિક સંબંધ અથવા સેક્સને વર્જિત અને ગૈર ધાર્મિક બતાવવામા આવ્યા છે. ધર્મ અને અધ્યાત્મ માત્ર શ્રદ્ધા અથવા ભક્તિ પર જ નિર્ભર નથી આ આખુ વૈજ્ઞાનિક સિધાંતો પર ચાલે છે.

ચાલો જાણીયે તે વૈજ્ઞાનિક કારણ જે લગ્ન પહેલા સેક્સ અથવા યૌન સંબંધને પુરી રીતે વર્જિત માનવામા આવ્યુ છે. : -

- 25 વર્ષની ઉમર સુધી શરીર અને મસ્તિષ્કનો પુરો વિકાસ થવા માટે બ્રહ્મચર્યનુ પાલન હોવુ જરૂરી છે.

- સમાજ જે આધાર પર ઉભો છે, તે પતિ-પત્નિના સંબંધ છે. લગ્ન પહેલા થયેલો યૌન સંબંધ આ આધારને નબળો બનાવીને સમાજનું પતનનુ કારણ બને છે.

- એઈડ્સ જેવા રોગો જેનો ઈલાજ નથી તે પ્રમુખ કારણ પણ અનૈતિક અને અધાર્મિક યૌન સંબંધ જ હોય છે.

- લગ્ન પહેલા માણસને પોતાની યોગ્યતાઓ અને ક્ષમતાઓને વિકસિત કરવો પડે છે. આ કાર્ય માટે જે એકાગ્રતા અને દ્રઢતાની આવશ્યક્તા છે તે જ યૌન સંબંધન કારણે નાશ પામે છે.

- યોગ્ય, બુદ્ધિમાન અને પ્રતિભાશાળી સંતાનની પ્રાપ્તિ માટે લગ્ન પહેલાનુ ચરિત્ર અને પવિત્રતા મોટી ભુમિકા ભજવે છે.
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
10 + 6


Advertisment
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
Advertisement
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.