Religion Home Astrology
Dharm
Jeevan Jivi Jaano
Yoga
Avu kem
Pooja
Festivals of India
Rashifal
Welcome 2013
શનિને શાંત કરવા, શું અને કંઈ રીતે દાન કરવું જોઈએ?
Dharm Desk, Ahmedabad | Apr 13, 2012, 17:16PM IST

હિન્દુ ધર્મ શાસ્ત્રો પ્રમાણે શનિદેવનો સ્વભાવ ન્યાયપ્રિય અને ક્રૂર પણ માનવામાં આવે છે. માન્યતા છે કે તેને લીધે સાંસારિક પ્રાણીઓ પોતાની બુરાઈ અને દુર્ગુણોને ચાલતા શનિના ન્યાયના અનેક દશા અને સ્થિતિ ભોગવે છે. તેમાં સાચો દ્રષ્ટિકોણ એ પણ છે કે શનિની આ કઠોરતા દોષોનો અંત કરે છે.
શનિ દશાઓ કે અનિષ્ટ પ્રભાવોથી બચવા માટે જ સારા કર્મોમાં પૂજા-ઉપાસના સિવાય સરળ ઉપાયોમાં દાનનું મહત્વ બતાવ્યું છે.
ખાસ કરીને શનિવારે શનિકૃપા માટે દાનમાં શનિની જ પ્રિય વસ્તુઓનું દાન વિશેષ મંત્રથી કરવાનું મહત્વ બતાવ્યું છે. તેનાથી શનિદોષ શાંત થઈ જાય છે. જાણો આ શનિમંત્ર અને દાનની વસ્તુઓ...
-શનિવારના દિવસે શનિદેવની પૂજા-ઉપાસના પછી મૃત્યુતુલ્ય કષ્ટો અને પરેશાનીઓને દૂર કરવા માટે લોખંડ, તેલ, કામળો, અડદની કાળી દાળ, નીલમ રત્ન, સોનું, વાદળી ફૂલ, મીઠુ, છતરી, ચામડાના જૂતા-ચપ્પલ કે ભેસ કે ગાયના વાછરડાનું દાન કોઈપણ યોગ્ય બ્રાહ્મણને નીચે લખેલ મંત્ર બોલીને કરો...
शनैश्चरप्रीतिकरं दानं पीड़ा-निवारकम्।
सर्वापत्ति विनाशाय द्विजाग्रयाय ददाम्यहम्।।
-દાનની સાથે જ 1 કે યથાશક્તિ સંખ્યમાં બ્રાહ્મણોને ભોજન કરાવો અને દક્ષિણા આપો.
Ad Link
Advertisement
Advertisement
Advertisement
Top News
Advertisement







