શનિ તારીખ 8 ફેબ્રુઆરીએ 9-33 મિનિટથી વક્રી થઈ ગયો. શનિ તુલા રાશિમાં જ રહેશે. શનિની આ વક્રી સ્થિતિ આ રાશિમાં 19 મે સુધી રહેશે. પછી તે કન્યા રાશિમાં ચાલ્યો જશે. કન્યામાં 26 જૂનછી માર્ગી થઈ જશે. 1 ઓગસ્ટથી ફરી તુલામાં આવી જશે. વિભિન્ન પંચાગોના અલગ-અલગ મત હોઈ શકે છે.
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પંડિત મનીષ શર્માના કહેવા પ્રમાણે શનિના વક્રી થવાને લીધે તેની અસર જનજીવન ઉપર પણ પડશે. વિશેષ કરીને 19 મેથી 1 ઓગસ્ટ 2012ની મધ્યમાં વક્રી શનિનો પ્રભાવ વધુ જોવા મળશે. તે સિવાય તે માત્ર પ્રાકૃતિક પ્રભાવોમાં પોતાની અસર બતાવશે. શનિના તુલા રાશિમાં વક્રી થવાથી તોફાનો, ચક્રવાત, ભૂકંપ, પૂર વગેરેથી હેરાન થવું પડે. લોકોને મોંઘવારીનો સામનો કરવો પડશે. તે સિવાય તે વ્યક્તિગત જીવનમાં તે કોઈને પરેશાન નહીં કરે. જે રાશિઓમાં શનિની ઢૈય્યા કે સાડાસાતી ચાલીરહી હોય તેમને સામાન્ય રાહત થશે.
19 મેથી 1 ઓગસ્ટની મધ્ય શનિ કન્યા રાશિમાં આવવાથી સિંહ, કન્યા, તુલા ઉપર સાડાસાતી તથા મિથુન તથા કુંભ ઉપર ફરી શનિની ઢેય્યાનો પ્રભાવ રહેશે. વૃશ્ચિક, કર્ક તથા મીન તેના પ્રભાવથી મુક્ત થઈ જશે.
આ સ્થિતિ કેવી રહેશે આ રાશિઓ માટે, જેમની ઉપર સીધી અસર પડશે શનિની...