Religion Home Astrology
Dharm
Jeevan Jivi Jaano
Yoga
Avu kem
Pooja
Festivals of India
Rashifal
Welcome 2013
...એટલે વૈશાખ મહિનામાં પરબ લગાવવામાં આવે છે!
Dharm Desk, Ahmedabad | Apr 19, 2011, 17:04PM IST

न माधवसमो मासो न कृतेन युगं समम्।
न च वेदसमं शास्त्रं न तीर्थं गंगया समम्।।
(स्कंदपुराण, वै. वै. मा. 2/1)
અર્થાત્ વૈશાખની સમાન બીજો કોઈ મહિનો નથી, સત્યયુગની સમાન કોઈ યુગ નથી, વેદ સમાન કોઈ શાસ્ત્ર નથી અને ગંગાજી સમાન કોઈ તીર્થ નથી. આ વર્ષ વૈશાખ મહિનાની શરૂઆત 19 એપ્રિલ મંગળવારથી થઈ છે જે 17 મે મંગળવાર સુધી ચાલશે.
ધર્મગ્રંથો પ્રમાણે સ્વયં બ્રહ્માજીએ વૈશાખને બધા મહિનાઓમાં ઉત્તમ બતાવ્યો છે. ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે આ સિવાય બીજો કોઈ મહિનો નથી. જેઓ વૈશાખ મહિનામાં સૂર્યદય પહેલા સ્નાન કરે છે, તેને ભગવાન વિષ્ણુ ખાસ પ્રેમ કરે છે, બધા દાનથી જે પુણ્ય મળે છે અને બધા તીર્થોથી જે ફળ પ્રાપ્ત થાય છે. તે જ ફળ વૈશાખ મહિનામાં માત્ર જળદાન કરવાથી પ્રાપ્ત કરી શકાય છે. જે જળદાન નથી કરી શકતા તેઓ જળદાનું મહત્વ બીજાને સમજાવે તો પણ શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય આ મહિનામાં પરબ લગાવે છે તે વિષ્ણુલોકમાં સ્થાન પ્રાપ્ત કરે છે. એવું પણ કહેવાય છે કે, જેને વૈશાખ મહિનામાં પરબ લગાવી થાકેલા-માંદા લોકોને સંતુષ્ટ કર્યા છે તેનાથી બ્રહ્મા, વિષ્ણુ અને શિવ વગેરે દેવતાઓને ખુશ થઈ જાય છે.
Ad Link
Advertisement
Advertisement
Advertisement
Top News
Advertisement







