ચાણક્યને આપણે અર્થશાસ્ત્રના વિદ્વાન કે પછી નીતિની વાતો કરનાર માનીએ છીએ પણ એ વાત પણ એટલી જ સાચી છે કે તે ઘર-પરિવારના મેનેજમેન્ટ માટે પણ એટલા જ સારા સૂત્રો આપે છે. પણ ખરી રીતે જોઈએ તો તેને પુરુષ, સ્ત્રી, મિત્ર, ધન, લક્ષ્મી આ બધા બાબતે ચર્ચા કરી છે જે આપણા રોજિંદા જીવનમાં ઉપયોગી નિવડે છે.
ચાણક્યએ સ્ત્રીમાં પણ માત્ર સ્ત્રી વિશે નહીં પણ સ્ત્રીના અલગ અલગ રૂપો વિશે પણ વાત કરી છે જેમ કે સ્ત્રી એક પત્ની તરીકે, કન્યા તરીકે, વેશ્યા તરીકે વગેરે પણ કેટલાક વિચારો જનરલ તમામ સ્ત્રીઓને લાગુ પડે તેવા છે. આ વિધાનો તેમણે તે સમયે રચ્યા છે. સ્ત્રીઓના સ્વભાવ, લક્ષણ, વ્યવહાર વિશેનું તેનું આબાદ ચિત્રણ આજે પણ એટલું જ સાચું લાગી શકે. આસપાસના સમાજમાં આપણે આવું બધું જોતા આવ્યા છે. ચાણક્યની નીતિ તેથી જ રસપ્રદ રહી છે કે તે માત્ર નીતિ નથી પણ તેને જે સમાજ જોયો અને તેમાંથી તેને જે પ્રાપ્ત થયું તેનું તેને બે વાક્યોમાં ચિત્રણ કર્યું છે. તેને અપનાવું ન અપનાવું, સમજવું, કેમ અને શા માટે સમજવું તે તેણે આપણા પર છોડી દીધું છે.
તો ચાલો આજે ચાણક્યએ કરેલા સ્ત્રી વીશેના કેટલાક વિધાનોની જાણીએ......