હમણાં 12 ડિસેમ્બરથી લઈને 21 ડિસેમ્બર સુધીની પ્રલયની ભવિષ્યવાણીઓ થઈ. માયા સંસ્કૃતિથી લઈને નાસ્ત્રેદમસ સુધી બધાને મેદાનમાં ઊતાર્યા. વિદેશોમાં તો ઘણાં બધાએ તૈયારીઓ પણ કરી લીઘી કે પ્રલય આવે તો શું કરવું તેમાં પણ જો સૂનામી આવે તો શું કરવું, ધરતી કંપ આવે તો શું કરવું વગેરે....? પણ આ બધું સાચું પડવાનું નથી તેવો એક અવાજ જનમાનસના ખૂણેથી આવતો હતો. ઉપનિષદ તેને ‘જિજિવિષા’ કહે છે. પણ, જેમ નાસ્ત્રેદમસની ઘણી વાતો સાચી પડી છે તે જ રીતે ગુજરાતના એક સંત કવિની વાતો ખરેખર મોટાભાગે સાચી પડી છે.
આજે એવી વાત જાણીએ જે ગુજરાતના નાસ્ત્રેદમસ જેવા એક માણસે કરી છે. આ વ્યક્તિની પણ મોટાભાગની વાતો સાચી પડતી જોઈ શકાય છે. તે વડોદરાના ગોઠડા ગામના ભગત એટલે ધીરા ભગત જેને દાસ ધીરા તરીકે ભજનો લખ્યા છે. તેમણે ઘણી એવી રોચક કૃતિઓ લખી છે જેમાં ધીરાની અવળવાણી પણ પ્રખ્યાત છે. આમાની એક રહસ્યમ રચના ‘કળિયુગના એંધાણી’ એ રચના વિશે આગળ જોઈએ અને જાણીએ કે તેમાંથી હાલ કેટલું સાચું પડ્યું છે તેના લેખા જોખા વિશે જાણીએ આગળ.....