બુધ સાથે એક જ રાશિમાં થયો ત્રણ ગ્રહનો સંગમ, તમને થશે અસર?

5 મેની રાત પછી બુધ ગ્રહ મેષ રાશિમાં જઈ રહ્યો છે. એ અત્યાર સુધી નીચનો હતો મેષ રાશિમાં અત્યારે ગુરુ તથા સૂર્ય પહેલાથી ત્યાં રહેલા છે. હવે બુધ, ગુરુ અને સૂર્ય ત્રણે ય ગ્રહોની તીડી બનશે. 5 મે પછી 21 મે 2012ની રાતે 9 વાગેને 25 મિનિટ પર બુધ વૃ।ભ રાશિમાં પ્રવેશ કરશે.
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પંડિત મનીષ શર્મા અનુસાર સૂર્ય, બુધ અને ગુરુ એક સાથે મેષ રાશિમાં રહેશે. મેષ રાશિ, મંગળના સ્વામિત્વ વાળી રાશિ છે તથા આ ત્રણેય ગ્રહોથી મંગળ મિત્ર ભાવ રાશે છે.
આ ગ્રહો અને આ ભાવ પર ઉચ્ચના શનિની દ્રષ્ટિ પણ બની રહેશે. શનિનો પણ બુધથી સમ ભાવ હોવાને કારણે કોઈ પણ પ્રકારના પ્રાકૃત્તિક આપત્તિઓથી જાનહાનીની શક્યતાઓ આછી થઈ જાય છે. આતંકવાદિયોની યોજનાઓ નિષ્ફળ રહેશે.
બુદ્ધિના ક્ષેત્રમાં કાર્ય કરનારાને વિશેષ સફળતાઓ મળશે. આ સમયમાં રિલિજ થનાર ફિલ્મો પણ સફલ થશે તથા વેપારમાં પણ ભારતને સફળતા મળશે.
પં. શર્માએ જણઆવ્યું કે આ સમય દરમ્યાન જન્મનાર બાળકો સ્ફૂર્તિવાન, ધાર્મિક તથા બુદ્ધિમાન થશે. આ બાળકો ઘણા પ્રકારના કાર્યોમાં પારંગત રહેશે તથા બધાને પ્રિય હશે.
રાશિ અનુસાર અસરઃ જાણો પં. મનિષ શર્માજી અનુસાર ગ્રહોનો આ ત્રિભેટો આપ પર કેવો પાડશે પ્રભાવ –
મેષ – આ લોકો આ ગ્રહસ્થિતિને કારણે સર્વશ્રેષ્ઠ લાભ મળશે.
વૃષભ –આ રાશિવાળાને ખર્ચમાં વધારો થવાની શક્યતા છે. ખર્ચ પર ધ્યાન આપો.
મિથુન –આ રાશિના લોકોને વ્યાપારમાં સફળતા મળશે.
કર્ક –કર્ક રાશિ વાળાને ઋણથી છુટકારો મળશે.
સિંહ –આ લોકોને સ્વાસ્થ્યમાં લાભ પ્રાપ્ત થશે.
કન્યા –કન્યા રાશિના લોકોને નોકરીમાં લાભ મળશે. બેરોજગાર લોકોને રોજગાર મળવાનો યોગ છે.
તુલા –આ લોકોને આર્થિક લાભ પ્રાપ્ત થશે. આવક સ્ત્રોતોમાં વધારો થવાની શક્યતા છે.
વૃશ્ચિક –આ રાશિના લોકોને થોડી સાવધાની રાખવી જરૂરી છે. આર્થિક અને પારિવારિક ચિંતાઓ વધશે.
ધન –જુના સમયથી ચાલી આવી રહેલી સમસ્યાનું નિદાન થશે.
મકર –મકર રાશિના લોકોને સંતાનથી સહયોગ મળશે અને લાભ મળશે.
કુંભ –આ રાશિના લોકોને પ્રમોશનનો યોગ થાય છે.
મીન –મીન રાશિના લોકોને માન-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે.







